Close

    આદરણીય ન્યાયમૂર્તિ શ્રી ભુષણ રામકૃષ્ણ ગવાઇ, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિશ્રી

    Justice Bhushan Ramkrishna Gavai Chief Justice of India
    • હોદ્દો: પેટ્રન-ઇન-ચીફ અને અધ્યક્ષ

    (જન્મ તારીખ): ૨૪/૧૧/૧૯૬૦

    કાર્યકાળ: (નિમણૂક તારીખ) ૨૪/૦૫/૨૦૧૯ થી (નિવૃત્તિ તારીખ) ૨૩/૧૧/૨૦૨૫

    જન્મ તારીખ ૨૪ નવેમ્બર, ૧૯૬૦.

    તેમનો જન્મ અમરાવતી ખાતે ૨૪ નવેમ્બર ૧૯૬૦ ના રોજ થયો હતો. ૧૬ માર્ચ ૧૯૮૫ ના રોજ બારમાં જોડાયા. ૧૯૮૭ સુધી ભૂતપૂર્વ એડવોકેટ જનરલ અને હાઇકોર્ટના ન્યાયાધીશ સ્વ. બાર. રાજા એસ. ભોંસલે સાથે કામ કર્યું. ૧૯૮૭ થી ૧૯૯૦ સુધી બોમ્બે હાઇકોર્ટમાં સ્વતંત્ર રીતે પ્રેક્ટિસ કરી. ૧૯૯૦ પછી, મુખ્યત્વે બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચ કાતે પ્રેક્ટિસ કરી.

    બંધારણીય કાયદા અને વહીવટી કાયદામાં પ્રેક્ટિસ કરી. નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન, અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમરાવતી યુનિવર્સિટી માટે સ્ટેન્ડિંગ કાઉન્સેલ હતા. એસ.આઇ.સી.ઓ.એમ., ડિ.સી.વી.એલ. વગેરે જેવી વિવિધ સ્વાયત્ત સંસ્થાઓ અને કોર્પોરેશનો અને વિદર્ભ ક્ષેત્રની વિવિધ મ્યુનિસિપલ કાઉન્સિલનું નિયમિતપણે પ્રતિનિધિત્વ કર્યું.

    ઓગસ્ટ ૧૯૯૨ થી જુલાઈ ૧૯૯૩ સુધી બોમ્બે હાઇકોર્ટ, નાગપુર બેન્ચ ખાતે આસિસ્ટન્ટ ગવર્નમેન્ટ પ્લીડર અને એડીશનલ પબ્લીક પ્રોસેક્યુટર તરીકે કામ કર્યું. ૧૭ જાન્યુઆરી ૨૦૦૦ ના રોજ નાગપુર બેન્ચ માટે ગવર્નમેન્ટ પ્લીડર અને પબ્લીક પ્રોસેક્યુટર તરીકે નિમણૂક કરવામાં આવી. ૧૪ નવેમ્બર ૨૦૦૩ ના રોજ હાઇકોર્ટના અધિક ન્યાયાધીશ તરીકે પસંદગી કરવામાં આવી.

    ૧૨ નવેમ્બર ૨૦૦૫ ના રોજ બોમ્બે હાઇકોર્ટના કાયમી ન્યાયાધીશ બન્યા. મુંબઈ ખાતે મુખ્ય બેઠક પર તમામ પ્રકારના કાર્યભાર ધરાવતી બેન્ચ તેમજ નાગપુર, ઔરંગાબાદ અને પણજી ખાતે બેન્ચનું નેતૃત્વ કર્યું. ૨૪ મે ૨૦૧૯ ના રોજ ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા.

    છેલ્લા છ વર્ષમાં, બંધારણીય અને વહીવટી કાયદો, દીવાની કાયદો, ફોજદારી કાયદો, વાણિજ્યિક વિવાદો, મધ્યસ્થી કાયદો, વીજળી કાયદો, શિક્ષણ બાબતો, પર્યાવરણીય કાયદો વગેરે સહિત વિવિધ વિષયોને લગતા કેસોની લગભગ ૭૦૦ બેન્ચનો ભાગ રહ્યા.
    કાયદાના શાસનને સમર્થન આપતા અને નાગરિકોના મૂળભૂત અધિકારો, માનવ અધિકારો અને કાનૂની અધિકારોનું રક્ષણ કરતા વિવિધ મુદ્દાઓ પર બંધારણીય બેન્ચના ચુકાદાઓ સહિત લગભગ ૩૦૦ ચુકાદાઓ લખ્યા છે.

    ઉલાનબાતર (મંગોલિયા), ન્યુ યોર્ક (યુ.એસ.એ.), કાર્ડિફ (યુ.કે.) અને નૈરોબી (કેન્યા) ખાતે વિવિધ આંતરરાષ્ટ્રીય પરિષદોમાં હાજરી આપી.

    કોલંબિયા યુનિવર્સિટી અને હાર્વર્ડ યુનિવર્સિટી સહિત વિવિધ યુનિવર્સિટીઓ અને સંગઠનોમાં વિવિધ બંધારણીય અને પર્યાવરણીય મુદ્દાઓ પર વ્યાખ્યાન આપ્યા.

    તેઓ ૨૩ નવેમ્બર ૨૦૨૫ ના રોજ નિવૃત્ત થશે.